1848માં !

                        શ્રી ગોપાળ હરિ દેશમુખ મોટા સરકારી અમલદાર, પણ અંદરથી પૂરા દેશપ્રેમી. ‘લોકહિતવાદી’ નામે એ છાપામાં લખતા. એ ઉપનામે લખેલા સો પત્રો ‘શતપત્રો’ પ્રગટ થયેલા છે. એમાં જોવા મળે છે કે 1848 જેટલા જૂના સમયમાં એમણે પ્રજાને બે બાબતો અંગે હાકલ કરેલી : એક તો, પરદેશીઓને કાચો માલ આપવો નહીં; અને બીજું, પરદેશીઓ પોતાનો માલ અહીં ખપાવવા માગે છે તે ખરીદવો નહીં.

             [ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા)ના ઓનરરી સેક્રેટરી તરીકે ગોપાળરાવ હરિ દેશમુખ ચૂંટાયા હતા.]

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.