ગ્રામજનોની દિલેરી-આર્નોલ્ડ બાકે

                અત્યાર સુધીની અમારી મુસાફરીઓમાં કાઠિયાવાડનો પ્રવાસ અમારી શ્રેષ્ઠ સ્મૃતિ છે. એ મુલાકાત સાચેસાચાં આધ્યાત્મિક મૂલ્યોના અનુભવોથી અંકિત છે, અને સમગ્ર ભારતનું કાચું સર્વેક્ષણ કરવાની જવાબદારી મેં માથે ન લીધી હોત તો એકાદ વરસ માટે અમે કાઠિયાવાડમાં સ્થાયી બન્યાં હોત. ત્યાંનાં ગ્રામજનોમાં અમને ભારતમાં બીજે ક્યાંય જોવા ન મળી એવી વિશિષ્ટ આંતર્ગત દિલેરીનાં દર્શન થયાં છે. આ ગુણને ગરીબી સાથે લેવાદેવા નથી. કાશ્મીરના લોકો કંગાળ છે, પણ એમનામાં એ ગુણ નથી જોવા મળતો. આ કદાચ રાજપૂતાનાના જ સંસ્કાર હોય.

આર્નોલ્ડ બાકે
[ઝવેરચંદ મેઘાણી પર પત્ર : 1939]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.