આપણાં બાળકો-મો. ક. ગાંધી

      આપણાં બાળકો કેળવણી લે તો ચીમળાઈ જાય છે. તેઓ પુરુષાર્થહીન બને છે અને તેઓને મળેલા જ્ઞાનનો ફેલાવો જનસમાજમાં નથી થતો, તેઓના કુટુંબમાં પણ નથી થતો.

**

      વિદ્યાર્થીઓ તો પરિસ્થિતિનું આભલું છે. તેમનામાં દંભ નથી, દ્વેષ નથી. જો તેમની અંદર પુરુષાર્થ નથી, સત્ય નથી, અપરિગ્રહ નથી, તો એ દોષ તેમનો નથી; દોષ માબાપનો છે, અધ્યાપકોનો છે. પ્રજાના દોષ વિદ્યાર્થીવર્ગમાં નીતર્યા છે અને તેથી તે વિદ્યાર્થીમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે.

મો. ક. ગાંધી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.