ગરમ કરવા !

               આચાર્ય ક્ષિતિમોહનને એક વાર રાતે ઘેર આવતાં ઠીક ઠીક મોડું થયું. ગૃહિણીએ ઊંચા સ્વરે કહ્યું : “જુઓને, ખાવાનું પણ ઠંડું થઈ ગયું !”
               તરત જ પતિદેવે થાળી ઉપાડીને ગૃહિણીના માથા પર ધરી. “આ શું કરવા માંડયું વળી ?”
               “કાંઈ નહીં, ખાવાનું ગરમ કરી લઉં છું જરી !”

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.