‘બાર નહીં ખખડાવું’ – ઉમાશંકર જોશી

               કવિશ્રી દુલા ભાયા કાગ : પહેલો એમને મળ્યો બોટાદમાં. મેઘાણીભાઈને ખરખરે એ આવેલા ત્યારે. ઊંચી પ્રભાવશાળી આકૃતિ, કાળી ભરાવદાર દાઢી વચ્ચે ક્યાંક સફેદ ધાગો, તેજસ્વી પણ ભાવનમ્ર આંખો, સફેદ સાફો તેમજ આખો પહેરવેશ, કાંસાનો મધુરગભીર અવાજ – એક વ્યક્તિત્વની સમ્મુખ ઊભા છો એમ સહેજે મનને સમજાઈ જાય. શહેરી દીવાનખાનામાં ગોઠવાય એવું આ વ્યક્તિત્વ નહીં. લાંબી ઓસરી, ગામડાના એ ઢોલિયા, એ ડાયરો, એ હુક્કા, એ વાતચીતનો અકૃત્રામ કિલ્લોલ.
               કવિનાં કેટલાંક કાવ્યો પ્રચલિત થયાં છે. ‘અજવાળું’ એ ગીત એક ઊર્મિગીત જેવું બને છે :

તમારાં દ્વાર ખોલો તો આવું;
કાગ નિયમ છે કાયમ એવો,
ખુલ્લાં દ્વારમાં જાવું.
હું અજવાળું
જગ અજવાળું,
બાર નહીં ખખડાવું.

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.