અશ્રુપાત નહીં – આંતરવ્યથા-ઝવેરચંદ મેઘાણી

                   આખા રાષ્ટ્રમાં ઘૂમનારા પરદેશી વિદ્વાને કાઠિયાવાડના તળપદા સંસ્કારધનમાં દેખેલું આ સૌંદર્ય અત્યારે છેલ્લા શ્વાસ ઘૂંટી રહેલ છે એના પર હું અશ્રુપાત કરવાનું કોઈને કહેતો નથી. કાળનું ચક્ર ફરે છે તે સારાને માટે જ છે. કાળચક્રના ફરવા સાથે જૂની સ્થિતિનું સૌંદર્ય અલોપ થાય છે, તો નવી અવસ્થાનું રહસ્ય ઉપર આવે છે. વિદાય લેતા કાળને વળામણાં દેતે દેતે આંતરવ્યથા ફક્ત આટલી જ કે એની સંપૂર્ણપણે સુરેખ છબી, એની તવારીખ અને એના યુગબોલ આપણે આપણી અનુભવપોથીમાં અંકિત કરી શક્યાં નથી.

ઝવેરચંદ મેઘાણી
[‘જન્મભૂમિ’ દૈનિક : 1939]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.