દુઃખની પતાકા – ઝવેરચંદ મેઘાણી

               અરે ભાઈ, આવા દુઃખ પર સાંત્વન-શબ્દો ધીરજ ઉપજાવી શકે ? રાંક બનીને એક આ પત્તું જ નાખું છું. હે પ્રભુ ! અમને સૌને અમારા રંકપણાનું ભાન કરાવીને જ સંતોષ ન લેજે. અમે તારાં સંતાનો; સહેવાની શક્તિ પણ એવી આપજે કે તું તાત તરીકે પણ લજ્જિત ન બને. દુઃખની પતાકા ઉપાડવાનો બોજો આપે છે તું, તો ઉપાડવાની તાકાત પણ તું જ દેજે, નહિતર નાસ્તિકો ફજેતી કરશે.

ઝવેરચંદ મેઘાણી
[કપિલ પ. ઠક્કર પર પત્ર : 1938]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.