એ જ કીમિયો – ઉમાશંકર જોશી

               રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’નાં સોએક પદોમાં ભારતવર્ષની પાંચ હજાર વરસની સાધનાનાં ચિરંજીવ તત્ત્વો સર્વગમ્ય પ્રકારે વ્યક્ત થવા પામ્યાં હતાં. એ જ કીમિયો ઉદયશંકરના નૃત્ય દ્વારા પણ થયો છે. ઉદયશંકરે આપણા દેશના વિવિધ નૃત્યપ્રકારોને પોતાની તેજસ્વી પ્રતિભાના રસાયણથી એક સર્વગમ્ય સ્વરૂપ આપી ભારતના આત્માની અપૂર્વ કલાઅભિવ્યક્તિ સાધી છે.

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.