ભલેને બાપડું આવો !-ઝવેરચંદ મેઘાણી

                     સંસારમાં સુખદુખ બેઉનાં જોડલાં જ સૌને માટે નિર્માયાં છે, એટલે દુખને દૂર રાખવું એ તો આપણા હાથની વાત નથી. આપણા હાથની વાત તો આ છે કે સુખમાં ને દુખમાં આપણો સંગાથ તૂટે નહીં, દાંપત્યની નિષ્ઠા ડગે નહીં અને બેઉ વચ્ચે સરસાઈ ચાલે એક જ વાતની કે કોણ વધુ સહિષ્ણુ ને ધીર રહી શકે છે, કોણ વધુ અનુકૂળ બની રહે છે. આટલું હોય તો પછી ભલેને દુખ બાપડું આવો !

ઝવેરચંદ મેઘાણી
[ચંપાબહેન અને રતિલાલ શેઠ પર પત્ર : 1937]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.