એટલે વીસમી વખત

               “છોકરાંઓને એકની એક વાત વીસ વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો ?” એવો સવાલ એક શિક્ષકને કોઈએ કર્યો.
               તેણે જવાબ આપ્યો : “ઓગણીસ વખત કહેલું નકામું ન જાય, એટલા માટે વીસમી વખત કહું છું.”
             કેળવણી એક લડત છે. શિક્ષકોનો પક્ષ હારી બેસશે, તો જગતની શક્તિ નામશેષ થઈ જશે. એક જ રસ્તો છે : ફરી ફરી સમજાવો, ફરી ફરી જાગૃત કરો, અકથ્ય ધીરજ ધરો.

કાકા કાલેલકર

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.