લીલી વાડીઓ નિર્માણ કરનારા – ઉમાશંકર જોશી

ઈશ્વર પેટલીકર જીવનથી તરવરતા હતા. સમાજને ઉઘાડી આંખે, ઉઘાડા કાને, ઉઘાડા હૃદયે નીરખતા અને એમનામાં સહાનુકંપા હતી. બધાના પ્રશ્નો જાણે પોતાના ન હોય ! એમણે લોકોના અંગત જીવનના, ખાસ કરીને યુવકોના, જે સળગતા પ્રશ્નો હોય છે તે ઉકેલવામાં, સંસારની હોળીઓ હોલવવામાં, સારો એવો સમય આપ્યો. સમાજમાં આવી મંગલમૂર્તિઓ હોવી જોઈએ. એ જીવશે, એમણે જે લીલી વાડીઓ નિર્માણ કરવામાં ફાળો આપ્યો હશે તે લોકોના જીવનની સુવાસ દ્વારા.

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.