જંપ્યા વિના

               માનવે તો પુરુષાર્થમાં સતત મચ્યા રહેવાનું છે. કસો કમર, ચલાવો મજલ. મુકામની દિશામાં બે ડગ તો ભરો.
જે પ્રયત્નશીલ છે, તે અથડાતો-પછડાતો પણ છેવટે પોતાના અસલ મુકામે પહોંચે છે. વચ્ચે કેવી ભૂલો થઈ, પતનો થયાં, એ મોટો સવાલ નથી; માણસ પાછો ઊભો થઈ જાય અને ફરી મજલ કાપવા માંડે, એનું મહત્ત્વ છે. સતત પ્રયત્ન કરતો રહે તો માણસ અંતે જીવનસાફલ્ય પામે જ છે.
“ઉતાવળ વિના, પરંતુ ક્ષણ એક જંપ્યા વિના.”

ઉમાશંકર જોશી

**

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

રાજેશ વ્યાસ, ‘મિસ્કિન’

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.