ભારતીય સર્જકની જવાબદારી

ભારતીય સમાજજીવનમાં એક સૂક્ષ્મ સાંસ્કૃતિક સંચલન હું અનુભવી રહ્યો છું. સંસ્કારની, મૂલ્યોની અથડામણમાંથી આપણું જીવન પસાર થઈ રહ્યું છે. એમાંથી ભારતીય સમાજની કેવી ભાત ઊઠી આવશે, જીવનનાં કયાં મૂલ્યો બળવાન બની પ્રતિષ્ઠા પામશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ આ સમગ્ર પરિસ્થિતિમાં ભારતીય સર્જક પર એક મોટી જવાબદારી રહેલી મને દેખાય છે. પંડિતયુગની જેમ સર્જકે કોઈ પયગંબરનો, ક્રાન્તદ્રષ્ટાનો પાઠ ભજવવાનો છે એવું હું સહેજ પણ માનતો કે સ્વીકારતો નથી. મારે કહેવાનું એટલું જ છે કે આ વસ્તુજગતની સામગ્રીમાંથી ઉત્તમ કોટિની નવલકથાઓ રચી શકાય એવી ક્ષમતા છે. એના તરફ વિમુખતા કેળવવાથી ગુજરાતી નવલકથા પાંડુવર્ણી બનશે એમ હું માનું છું.

જયંત ગાડીત

[‘નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ’ (1985), પૃ. 69]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.