સાહિત્ય-અનુભવ

અન્ય વિદ્યાશાખાઓ યા શાસ્ત્રો જે અસ્તિત્વમાં છે તે માનવીનો અને તેના પરિવાર, સમાજ, રાષ્ટ્ર, દેશ, જગતનો પરિચય કરાવે છે; તેમના વિશે જ્ઞાન અને સમજ આપે છે; તેમાં શું સારું અને ઉપાદેય છે તેમ જ શું નરસું અને હેય છે, તેનો વિવેક શીખવે છે. સાહિત્ય, નવી જ સર્જેલ સૃષ્ટિના દર્શન દ્વારા, જીવન અને જગતનાં પરિચય-માહિતી-જ્ઞાન-સમજ આપવાને બદલે, જીવનનો પોતાનો અપરોક્ષ ઉત્કટ અનુભવ કરાવે છે. એ અનુભવ આપણી કેવળ બુદ્ધિને જ નહિ, આપણા સમગ્ર આત્માને – સંવેદના, બુદ્ધિ, કલ્પના, ચેતનાને – સ્પર્શી રહે છે. સાહિત્ય આપણને એક જ જીવનમાં ઘણાં બધાં જીવનનો અનુભવ કરાવી શકે છે. આ બાબતમાં સાહિત્ય અન્ય તમામ શાસ્ત્રો અને વિદ્યાઓથી ભિન્ન તરી આવે છે.

જશવંત શેખડીવાળા

[‘સાહિત્યાલેખ’, (1996)માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.