કળાકારની પસંદગીઓ

જેના વિના પોતાને ચાલતું નથી એ સૌંદર્ય અને જેનાથી પોતાને ઉતરડી શકાતો નથી એ જનસમૂહ એ બે વચ્ચેથી કળાકારે પોતાનો માર્ગ કરવાનો હોય છે. એટલે, જ, સાચા કળાકારો કશાયનો તિરસ્કાર કરતા નથી, કોઈપણ બાબત અંગે ચુકાદો આપવા કરતાં તેને સમજવાનો તેમનો પ્રયત્ન હોય છે. આ વિશ્વમાં તેમણે જો કોઈ એકનો પક્ષ લેવાનો હોય તો એ માત્ર સમાજનો પક્ષ લે – એવા સમાજનો જેમાં, નિત્શે કહે છે એમ, ન્યાયાધીશ નહીં પણ સર્જક અગ્રેસર હોય, પછી ભલેને એ જીવ શ્રમજીવી હોય કે બુદ્ધિજીવી.

આલ્બેર કામૂ

[અનુ. પ્રમોદકુમાર પટેલ, ‘તત્ત્વસંદર્ભ’(1999) પૃ. 188]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.