રંગભૂમિ અને ‘મિથ્યાભિમાન’

1869માં રચાયેલા મિથ્યાભિમાન નાટક સુધી પહોંચતાં દલપતરામની નાટ્યલેખનકલા અદ્ભુત વિકાસ દાખવે છે. મૂળ કથાવસ્તુ એમને કદાચ લોકવાર્તામાંથી મળ્યું હોય, તો પણ એમણે સર્જેલું જીવરામ ભટ્ટનું પાત્ર મૂર્ખતા અને ધૂર્તતાના વિચિત્ર રસાયણસમા મિથ્યાભિમાનીનું અમર દૃષ્ટાંત બની ગયું છે [….] 1922 સુધીમાં આવતાં એની નવ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ હતી એ જોતાં અન્ય કોઈપણ નાટકને ગુજરાતે આટલું બિરદાવ્યું નથી એ પણ સમજાશે […] મિથ્યાભિમાનની તખ્તાલાયકી નિ:સંશય છે પણ એના પ્રકાશન પછી પોણી સદી સુધી એ ભજવાયું નથી [….] તે પછી ગુજરાત વિદ્યાસભાના નટમંડળે દલપતરામની નાટ્યસૂચનાઓને ઠીકઠીક અનુસરીને ભવાઈની શૈલીમાં આ નાટક અનેકવાર ભજવ્યું હતું [….] આમ ગુજરાતી અભિનેય નાટકોમાં પણ એ માગ મૂકાવનારું છે.

યશવંત શુક્લ

[‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’-3 (1976, 2005)માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.