કળા : સામગ્રીનું રૂપાંતર

કલાકારની સાધના અત્યંત દુષ્કર છે. પરંતુ અંતે જ્યારે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તો ખરો ચમત્કાર સર્જાઈ જાય છે. જીવનનું સમસ્ત ઋત – અંતસ્તત્ત્વ (દર્શન, સંવેદન, અનુભૂતિ સહિતનાં તમામ સત્ત્વો) પોતે જ વિરલ સૌંદર્યરૂપે પ્રગટ થાય છે. આમ Content પોતે જ રૂપાંતર પામી રચનારૂપે પ્રગટ થાય છે, ત્યારે પેલો કલાકાર માનવી વિશ્વકર્માને આસને બેઠેલો દેખાય છે.

ભોગીલાલ ગાંધી 

[‘મિતાક્ષર’ (1970)માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.