યુગપરંપરા

આપણી આજની સંવેદનશીલતા અને મધ્યકાળની સંવેદનશીલતા વચ્ચે ફરક રહેવાનો. આપણે ત્યારની સંવેદનશીલતાને કલ્પનાથી માણવાની છે. મધ્યકાળના એ બોધને એ યુગપરંપરા સાથે સાતત્ય કેળવીને સમજવાનો છે. પોતાનાં યુગલક્ષી મૂલ્યોને એમણે યુગધર્મી બનીને સાહિત્યના સાધન દ્વારા પ્રબોધ્યાં છે એ ધ્યાનમાં રાખીને જ એ સાહિત્યની તપાસ કરવાની રહે છે. એમાંના ઉત્તમ અંશો આજનાં ધોરણોની જિકરથી અવગણાઈ ન જાય એટલી તકેદારી રખાય તો પણ ઘણું. એ સમયે માનવચેતના વિવિધ કાવ્યરૂપોમાં કેવી પ્રગટી છે તે જોવાનું છે. આજનાં સાહિત્યસ્વરૂપો જે આનંદ આપણને આજે આપે છે એવો આનંદ એ સમયનાં સાહિત્યસ્વરૂપોમાંથી જુદા જુદા સ્તરના પ્રજા-સમૂહોએ મેળવ્યો છે. […] એ કવિઓએ માનવધર્મ સમજીને સાહિત્યને ઉપાસ્યું છે અને પોતાનું જે કંઈ હીર હતું એને એમાં વ્યક્ત થવા દીધું છે.

ચિમનલાલ ત્રિવેદી

[‘ભાવરેખ’, (2000), પૃ. 41]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.