કવિતા સીધી ભાવક પાસે

કાવ્યો પરત્વે મારા સંગ્રહોમાં મેં ક્યારેય કંઈ નિવેદન કર્યું નથી. એવું કરવાની જરૂરિયાત મને જણાઈ નથી. કવિતા સીધેસીધી એના ભાવક પાસે પહોંચે ને ભાવક એનો સ્પર્શ પોતાની રીતે પામે ને આહ્લાદ અનુભવે. કાવ્યના સૌંદર્યને અને રસને પામવાની પ્રક્રિયા મને તો પ્રેયસીના અવગુંઠનની ઓથે રહેલા વદનના સૌંદર્યને અને ઓષ્ઠના રસને પામવા સમી લાગી છે. કોમળ સ્પર્શથી મહીન આવરણને જરા આઘું કરી મુખની સુરખી અને નેત્રની દ્યુતિ ઝીલી શકાય. પ્રત્યેક ભાવક નિજી સંસ્કાર અને રુચિ પ્રમાણે રસાનુભાવ કરે એમાં વચ્ચે આવવાનું ન હોય.

રાજેન્દ્ર શાહ

[ ‘સંકલિત કવિતા’(1983)-નું નિવેદન ]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.