જીવનચરિત્ર : કેવું

યુરોપખંડમાં કોઈ માણસમાં એકાદ ગુણ હોય અને તેણે થોડું ઘણું પરોપકારી કામ કર્યું હોય તો તેનું જન્મચરિત્ર લખાય છે. અને આપણા દેશમાં તો એક બીજાની અદેખાઈને લીધે કોઈની ઉત્કર્ષતા સાંભળીને સહન કરી શકતા નથી. એવા લોકો આપણા દેશીનું જન્મચરિત્ર લખનારને ખુશામદીઓ ઠરાવે અથવા વધારે વખાણ કર્યાં છે એમ કહીને અનાદર કરે છે. પણ સ્વદેશની ઉત્કર્ષતા કરવા જેઓ ચાહતા હોય અને સ્વદેશપ્રીતિ જેના મનમાં હોય તેઓએ પરોપકારી દેશીઓનાં જન્મચરિત્ર વાંચવાં, લખવાં અને તે ઉપર વધારે પ્રીતિ રાખવી.

દલપતરામ

[ દુર્ગારામ મહેતાજી, ‘બુદ્ધિપ્રકાશ’(નવે.76થી ઓક્ટો.77) ]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.