દલિત આંદોલન

રખે કોઈ એવું માની લે કે ‘આક્રોશ’ [સામયિક અને એના આંદોલન] પહેલાં દલિત સમસ્યાને લઈને કોઈ કવિતાસર્જન થયું નથી. દલિતો થકી પણ થયું છે ને બિનદલિતો થકી પણ. ભક્તિયુગ કે ગાંધીયુગમાં ક્વચિત્ લખાયેલા કવિતાસાહિત્યથીય પહેલાં દલિત તૂરી-કલાકારોની ભવાઈકવિતા દલિતકવિતાની જ પુરોગામી કવિતા છે. વર્ણ અને જ્ઞાતિને સાંકળતા સોશ્યલ સેટાયર ભવાઈકવિઓની વિશિષ્ટ અભિવ્યક્તિઓ હતી. આઝાદી પહેલાં અને પછીના સમયમાં ‘પેંથર’ની જેમ બીજાં દલિત-સામયિકોમાં દલિતવિષયક કવિતાઓ પ્રસંગોપાત્ત છપાતી હતી. ફર્ક હતો તો ‘દલિત સાહિત્ય’ કે ‘દલિત કવિતા’ની વિશિષ્ટ ઓળખ સાથેના નામાભિધાનનો, એક સમજણપૂર્વકના નિર્ધાર સાથે લોંચ થયેલા દલિત સાહિત્ય આંદોલનનો.

નીરવ પટેલ

[‘ગુજરાતી દલિત કવિતા’-સંપાદન(2010)ની પ્રસ્તાવના]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.