૪૦. વત્સલનાં નયનો

તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધુરાં નજરે ચડતાઃ
સહું તે, પણ કેમ શકાય, સખે!
સહી વત્સલનાં નયનો રડતાં?

નહિ તે કંઈ દોષભર્યા નયનોઃ
પણ નિર્મલ નેહસરોવર સારસ—
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસઃ
એ જખમી દિલનાં શયનો!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.