૯૭. શાસ્ત્રોપદેશ

[રાગ નટઃ તાલ ચતુસ્ત્ર જાતિ ત્રિતાલ]

સદા વચન ઋત બોલો ને!
અતિશય અહિત રહ્યું અસતમાં :
સાચું કહ્યા થકી હાનિ ભલે થાય,
તદપિ ન ઈતર ધર્મ મતમાં!
સત્યમેવ જયતે |
ના ડરવાનું : ના ફરવાનું :
વિરલ ગહન વ્રત કઠિન વિષમ સત પરમ સાધુ તણું!
ફલ પણ તેમાં ઘણું :
શાસ્ત્રો બોધે એવું ફરી ફરી :
ખરું હૃદય નિજ ખોલો ને!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.