૫. અજ્ઞાન સખા પ્રતિ

નહિ નહિ કદા તારે શબ્દે જરી લઘુતા ઘટેઃ
નહિ ક્મય હજી માયાની એ તને જડતા મટે!
હૃદય પણ શું ભૂલે? આસ્થા ડગે? નહિ સાંભરે,
પ્રણય રસની બ્રાહ્મી વસ્થા? સખે! ન ઘટે ખરે!

નહિ રસ, સખે! આત્માનો એ કદાપિ કમી થતો :
રસમય લસે આત્મા તો એ ચરાચરમાં છતો!
સ્મરણ કરજે માટે, વ્હાલા! સ્વરૂપ તણું, અને
સકલમયતા-સ્થાને આવી પછી મળજે મને!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.