૭૮. છેલ્લું આલિંગન

[રાગ જૌનપુરી ટોડી : તાલ ગઝલ]
ભેટી લે પ્રાણ મારા!
સ્વર્ગોમાં ફરી તો છે ભેટવું!
પ્રીતિને ના પરહરો : તાવો!
પ્રભુને ઉછંગે, પ્યારા! લેટવું!

ભવમાં તવ આ મૈત્રી
હંમેશાં ગવાશે, જનો નહિ ભૂલે!

મરજીવા બનને,
સંસારે તો, પ્રિય! તરો, તારો!
પ્રિયોને પ્રભુ પંથે છે જવું!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.