૪૪. પવિત્ર ભોજન

[અંજનીગીત]
ભૂખે ના ભાખર જે ભાવ્યો :
તરસે ના આસવ જે ફાવ્યો :
છોડી તે સેવક સ્વામીનો
શબ્દ સુણી આવ્યો!

હાવાં તવ ભાખર છે લીધો :
દેવોનો દ્રાક્ષાસવ પીધો :
દુનિયાએ છો અળગો કીધો :
સ્વામી સાચવજો!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.