૭૨. હૃદયગીતા

[બિભાસ અને પરજના સ્વરોમાં]

ઘીરજ ધર ને, હૈયા તું મારા!
આત્મા શાશ્વત અમર છે!
દૂર થવાનું અંધ નિશાનું, અંધ નિશાનું, અંધ નિશાનું હા!
સ્વર્ગોમાં સ્નેહે ભેટવું!
સ્વામીનો શબ્દ તો સાંભળી માનજો :
દેહી શાશ્વત અમર છે :

નવ કુસુમ નવ મરતું!
પ્રભુ નિકટ ઝટ સરતું :
અયિ હૃદય! ધૃતિ ધર
દિલ નજર કરઃ
વિરલ તરુવર
વિરલ સરવર,
સમીપ સુરજનભવન ઝળહળતાં!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.