૪૪. સિન્ધુને

‘અમાવસ્યા આજે, ગગનપથ ચંદા ન નીસરે;
તરંતોના શાને તુજ શરીર રોમાંચ ઊપડે ?
અને શાને આજે ખડક પર તું દીપ જગવે ?
વધા’વાને આભે કવણ પગલાં રત્ન ઝગવે ?’

‘અમાવસ્યા જાણું ગગનપથ ચંદા ન નીસરે,
સ્મૃતિ પૂર્ણિમાના મિલન તણી કિન્તુ ઉર ચડે;
જઈ આજે તેથી ખડક પર હું દીપ જગવું;
અને રત્નો મારાં મિલનપથ માંહી સહુ જડું.

અમાસે જીવું છું પરમ સુખથી એ સ્મરણના,
અને પૂર્ણિમાએ ભરતી સુખની છે, મિલનના.’

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.