શ્લોક

મહાદેવભાઈનો વિચાર કરતાં
મને હમેશાં આ શ્લોક સાંભરે છે:

वदनं प्रसादसदनम्
सदयं हृदयं सुधामुचोवाचः
करणं परोपकरणम्
येपां केपां न ते वंद्यः?

— વિનોબા

  • સદાય હસતું મુખડું
    સદય હૃદય છે સુધાભરી વાચા
    પરોપકારી કાર્યો
    જેનાં તેને કોણ નહીં વંદે?

    — વિનોબા

  • માત્ર પિતાના શરીરનો અંશ મળવાથી જ પુત્ર પુત્ર નથી બનતો. એ પુત્ર તો ત્યારે બને છે જ્યારે શરીર સાથે પિતાના સદ્વિચારોને પૂરેપૂરા ગ્રહણ કરે. શરીરનો અંશ ન મળે અને જો સદ્વિચાર જ ગ્રહણ થાય તોપણ તેને પુત્રની યોગ્યતા પ્રાપ્ત થાય છે. મહાદેવભાઈ બાપુના એ જ અર્થમાં પુત્ર હતા.

  • લક્ષ્મણ વિના રામનું કામ થાત જ નહીં. એ સમજીને જ રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા હતા. તુલસીદાસે લખ્યું છે: ‘રામના યશના ઝંડા સારુ લક્ષ્મણ દંડ સમાન બન્યા.’ મહાદેવભાઈની એવી યોગ્યતા હતી એમ કહી શકાય.

    — વિનોબા

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.