માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
૨૮-૧૦-૧૯૩૭
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)
*
આસ્વાદ:
માનવીનું હૈયું: હૈયાનો સ્વભાવ અને પ્રભાવ — ભગીરથ બ્રહ્મભટ્ટ