Book Title: અશ્રુઘર

Author: રાવજી પટેલ

Cover image for અશ્રુઘર
License:
All Rights Reserved

Contents

Book Information

Book Description

આ નવલકથાના નાયકનું નામ છે – સત્ય. એ ક્ષયગ્રસ્ત છે, પણ મન એનું તરવરાટવાળું, તીવ્ર રીતે સંવેદનશીલ છે. હોસ્પિટલ અને ગામડાનું ઘર – એની વચ્ચે પસાર થતા એના દિવસો વિસ્મયભરેલા, લાગણીમય, ઉશ્કેરાટવાળા, વેદના-ને-પ્રસન્નતાવાળા પ્રેમ-અનુભવથી ભરેલા છે. હોસ્પિટલમાં લલિતા સાથેનો પ્રેમ, ગામમાં ગયા પછી સૂર્યા સાથે લગ્ન, વળી છેલ્લી ઘડીઓમાં લલિતાનું ક્ષણિક સાન્નિધ્ય…

નવલકથામાં લેખકની શૈલી રમતિયાળ છે, એની ભાષા શિક્ષિતની તેમજ ગ્રામજનની એવા બેવડા સ્વાદવાળી છે. લેખકની રમૂજવૃત્તિ – sense of humour – પણ સંવાદોમાં ને વર્ણનોમાં દેખાય છે. ક્યાંક તો નરી કવિતા છે એ.

કરુણ અંતવાળી આ નાનીસરખી નવલકથા એવી તો કથા રસવાળી ને સર્જનાત્મક ભાષાના કસવાળી છે કે એમાં એકવાર પ્રવેશ કરીશું એ પછી આંખો સામેથી એ ખસશે જ નહીં.

આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.

Author

રાવજી પટેલ

License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Metadata

Title
અશ્રુઘર
Author
રાવજી પટેલ
License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Publisher
ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની