આજે ફરીથી એમ કહેવાવા લાગ્યું છે કે ભાષા સૌથી મોટું સંહારક શસ્ત્ર છે. કેમ્યૂને જે ચિન્તા થયેલી તે આ જ કે જગતનાં દુ:ખિયારાં જો પોતાના દુ:ખનું મોંજોણું કરાવનારી ભાષાને પામશે નહિ તો માંધાતાઓ તો આપણને એમ જ મનાવશે કે જગતમાં દુ:ખ છે જ નહિ! આથી લોકો પોતાના દુ:ખનો ચહેરો જોઈને વર્ણવે તે જરૂરી છે. વેદનાના આર્ત ચિત્કારની શક્તિ તો એટલી બધી છે કે નિર્વાણને ઉંબરે ઊભેલા બુદ્ધ ત્યાંથી પાછા વળીને દુ:ખતપ્ત લોકો વચ્ચે આવી ગયા. શબ્દને, દીર્ઘ જગતને ને ઈશ્વરને આપણે ઓળખીએ. આજે તો જ્યાં શબ્દનો જ્યોતિ નથી એવા અસૂર્યલોકમાં કેટલાય માનવીઓ મૂંગા મૂંગા કણસીને જીવી રહ્યા છે.

સુરેશ જોષી

License

વિદુલા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.