"

Catalog

    No available filters at the moment
7 results

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો

All Rights Reserved   English

Author(s): સંપાદક : મધુસૂદન કાપડિયા

Last updated: 17/09/2021

મિથ્યાભિમાન

All Rights Reserved   Gujarati

Author(s): દલપતરામ

Last updated: 15/12/2020

ચિરકુમારસભા

All Rights Reserved   English

Author(s): રવીદ્રનાથ ટાગોર, અનુવાદઃ રમણલાલ સોની

Last updated: 23/05/2020

રવીદ્રનાથની, હાસ્ય-કટાક્ષકેદ્રી બંગાળી નવલકથા ચિરકુમાર સભાનો આ એવો જ અસરકારક અનુવાદ છે. હાસ્ય-વિનોદની કથાનો અનુવાદ કરવાનું કામ કપરું હોય છે કેમ કે એમાં ભાષાના કાકુઓ અને મર્મો વધારે ઝીણવટથી પકડવાના હોય છે. રમણલાલ સોનીએ એ કામ એવા જ કૌશલથી કર્યું છે.ચિરકુમાર સભા એ બ્રહ્મચર્ય-પાલન કરીને ને એમ લગ્ન-પરંપરાનો અસ્વીકાર કરીને દેશસેવા કરવા કટિબદ્ધ થયેલા નવયુવકોનું મંડળ છે. અવારનવાર સભાઓ યોજીને પોતાના વિચારોને દૃઢ કરવાનો એમનો સંકલ્પ છે. પરંતુ એ સંકલ્પ ધીમેધીમે તૂટતો જાય છે, ને છેવટે બધા જ યુવકો સમવયસ્ક યુવતીઓથી આકર્ષાતા ને લગ્નબદ્ધ થઈને સભા-ત્યાગ કરતા જાય છે! એની ખૂબ જ કુનેહપૂર્વકના ઠઠ્ઠાથી આ હાસ્યકથા રવીદ્રનાથે રચી છે. બ્રહ્મચર્યના એ વખતે જાણીતા થયેલા વ્રત પરનો લેખકનો કટાક્ષ પણ અછતો રહેતો નથી. આ નવલકથા પરથી બંગાળીમાં નાટક અને ફિલ્મ પણ બનેલાં.નવલકથાનો હાસ્યરસ ખુલ્લા-મુખર હાસ્યથી લઈને માર્મિક-સાહિત્યિક નર્મના ઊંડાણ સુધી પહોંચતો રુચિર હાસ્યરસ છે. ખૂબ મરમાળો, વિદ્વાન અને શીઘ્ર કવિતા રચી લેતો એનો નાયક અક્ષય અને એની ત્રણે કુંવારી અને રુચિસંપન્ન સાળીઓ ચિરકુમાર સભામાં કેવું છીંડું પાડે છે એની કૌશલવાળી, સતત વિનોદમય રહેતી આ રસપ્રદ કથા વાંચવી શરૂ કર્યા પછી પૂરી કર્યેે જ છોડે એવી છે.તો પ્રવેશો....

સાગર સમ્રાટ

All Rights Reserved   Gujarati

Author(s): જુલે વર્ન

Last updated: 10/03/2020

ગિજુભાઈની બાળવાર્તાઓ

All Rights Reserved   Gujarati

Author(s): ગિજુભાઈ બધેકા

Last updated: 09/03/2020

વાર્તાના ધોધમાંથી વીણેલી આઠેક દાયકા પહેલાં ગિજુભાઈ બધેકાએ ભાવનગરના દક્ષિણાર્મૂતિ બાલમંદિરની ટેકરી પરથી બાલસાહિત્યનો જે ધોધ ગુજરાતમાં વહેતો મૂક્યો હતો, તેની તોલે આવે એવું બીજા કોઈ લેખક પાસેથી હજી આપણને મળ્યું નથી. 1989માં ગિજુભાઈના અવસાનને પચાસ વરસ વીતી ગયાં અને કોપીરાઇટના કાયદા મુજબ તેમનાં લખાણો સમાજની માલિકીનાં બન્યાં. આમ કાયદાથી જે મહામૂલો વારસો ગુજરાતી પ્રજાને સાંપડયો, તેનાથી વંચિત કોઈ ગરીબ કુટુંબનું બાળક પણ ન રહે તેવી હોંશથી ગિજુભાઈની સોળ વીણેલી બાલવારતાઓના, સાવ નજીવી કિંમતવાળા, નાના સંચયની દોઢ લાખ નકલો લોકમિલાપ તરફથી પ્રગટ થયેલી. તેમાં સાત વરસ સુધીનાં નાનાં બાળકો પણ માણી શકે તેવી વારતાઓ મૂકલી. તે પછી, આઠથી ચૌદ વરસનાં બાળકોને વધુ રસ પડે તેવો ગિજુભાઈની અઢાર બાલવાર્તાઓનો બીજો ભાગ પણ બહાર પડેલો. એ બેય ભાગની વારતાઓ પૈકી 9 ચૂંટીને આ ખીસ્સાપોથીમાં રજૂ કરી છે. નાનાં બાળકોને તે વાંચી સંભળાવવાની હોંશ વડીલોને થશે, એવી શ્રદ્ધા છે. બાળકોને કહેતાં કહેતાં મોટેરાંઓ પણ આ વારતાઓ માણ્યા વગર નહીં રહે.

અરૂપસાગરે રૂપરતન

All Rights Reserved   English

Author(s): યજ્ઞેશ દવે

Last updated: 09/03/2020

મારી હકીકત

All Rights Reserved   English

Author(s): કવિ નર્મદાશંકર લાલશંકર

Last updated: 09/03/2020

બહુ જ નિખાલસતાથી અને હિમ્મતપૂર્વક સત્ય-કથન કહેનારી આ આત્મકથા છે. એમાં કવિ નર્મદના જીવનની અને એમના સમયની અનેક દસ્તાવેજી વિગતો હોવા છતાં, આ કથા આરંભથી અંત સુધી આપણને પકડી રાખે એવી રસપ્રદ પણ છે. ગુજરાતી ભાષાની એક ચિરંજીવ સાહિત્યકૃતિ તરીકે એની ગણના થાય છે.

અહીં મૂળ આત્મકથા ઉપરાંત નર્મદે લખેલી ડાયરી અને પત્રો પણ છે; વળી, વિવિધ હસ્તાક્ષરો અને ફોટોગ્રાફ પણ સામેલ છે –એ બધું રસપૂર્વક આપણને એમના જમાનામાં લઈ જાય છે.

ગુજરાતીની આ પહેલી આત્મકથા – લખાયેલી 1886માં.(ને ત્યારે થોડીક નકલો કવિએ છપાવેલી). પરંતુ, આ પુસ્તક પ્રકાશિત થયું નર્મદના જન્મ-શતાબ્દી વર્ષ 1933માં. દરમિયાન, 1926માં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ પ્રગટ થઈ ગયેલી.

તો, પ્રવેશો કવિ નર્મદના આ રોમાંચક આત્મકથનમાં…