૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી

આકાશનાં મોતી તો
મળી ગયેલાં માટીમાં;
પાછાં બંધાઈને આવ્યાં બહાર,
ઝબક્યાં ડૂંડે ડૂંડે.

શું તારો જ ખર્યો છે?
જોનારનું તો આકાશ પણ ખરી ગયું,
આંખમાંથી!

નાવ ભાંગી ખડક પર,
ને મોજું ભાંગ્યું કાંઠે,
ને એ જોતાં જ ભાંગ્યું આકાશ
મારી અંદર દરિયે!

અંદર હચમચી ગયાં છે મૂળિયાં,
પાન, ફૂલ, ફળના નહીં;
ખાલીપાના ભારે!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.