અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ:  જીવનવહી અને સાહિત્ય સર્જન – ઊર્મિલા ઠાકર

જીવનવહી

૧૯૩૭ : ૧૧મી નવેમ્બર – જન્મ

જન્મસ્થળ : પાટણ

વતન : દેત્રોજ (વીરમગામ તાલુકો)

માતા : લક્ષ્મીબહેન

પિતા : લાલજીભાઈ બ્રહ્મભટ્ટ

શાળા શિક્ષણ : ધોરણ-૩ સુધી પાટડી ત્યારબાદ વડોદરા

૧૯૫૮ : બી. એ. (ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે

એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા)

૧૯૫૯ : ડભોઈ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા

૧૯૬૦ : એમ. એ. (ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે)

એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા

૧૯૬૨ : બીલીમોરા કૉલેજમાં અધ્યાપક (આઠેક વર્ષ)

નવસારી તથા સૂરતમાં મુલાકાતી

અનુસ્નાતક પ્રાધ્યાપક

૧૯૬૮ : ૪થી જુલાઈ – નલિની તુરખિયા સાથે

આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન.

૧૯૬૯ : ૧૯મી જુલાઈ – પુત્રી મેધાનો જન્મ.

૧૯૭૦ : ગુજરાત યુનિવર્સિટી – ભાષાસાહિત્ય ભવનમાં

ગુજરાતીની પ્રાધ્યાપક તરીકે જોડાયા.

૧૯૭૨ : ૨૯મી ડિસેમ્બર – પુત્રી ઋતાનો જન્મ

૧૯૭૪ : ૧૦મી ઓગસ્ટ – પુત્ર અપૂર્વનો જન્મ

૧૯૭૫ : રિલ્કે શતાબ્દી નિમિત્તે યોજેલા પરિસંવાદમાં વક્તવ્ય આપવા ગયેલા ત્યારે ખૂબ તાવ આવ્યો. લ્યૂકેમિયા (બ્લડ કૅન્સર)નાં લક્ષણો જણાયા.

નિદાન – લ્યૂકેમિયા

મૃત્યુ સામે ઝઝૂમતા રહ્યાં.

૧૯૮૧ : ૩૧મી જુલાઈ, દેહવિલય.

સાહિત્યસર્જન

કવિતા

૧૯૮૩ : ‘કિમપિ’ (મૌલિક તેમજ અનૂદિત કાવ્યોનો સંગ્રહ)

ટૂંકીવાર્તા

૧૯૮૨ : ‘અજાણ્યું સ્ટેશન’

રેખાચિત્ર

૧૯૮૧ : ‘નામરૂપ’

નિબંધિકા

૧૯૮૧ : ચલ મન વાટેઘાટે ભાગ ૧ અને ૨

૧૯૮૨ : ચલ મન વાટેઘાટે ભાગ ૩ અને ૪

વાર્તિક

૧૯૮૨ ઋષિવાણી

પરિચય પુસ્તિકા

૧૯૭૮ એન્ટન ચૅખોવ

વિવેચન

૧૯૭૦ અન્વીક્ષી

૧૯૭૪ ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિને વિચારણા

૧૯૭૬ પૂર્વાપર

૧૯૮૨ સંનિકર્ષ

અનુવાદ

૧૯૬૯ એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર

સંપાદન

સર્જકો વિશેની સ્વાધ્યાયશ્રેણી

૧૯૬૯ ઝવેરચંદ મેઘાણી

૧૯૭૧ મણિશંકર ભટ્ટ ‘કાન્ત’

૧૯૭૩ રમણભાઈ નીલકંઠ

કૃતિ વિશેની સ્વાધ્યાયશ્રેણી

૧૯૭૩ ‘કાન્તા’

૧૯૭૫ સુદામાચરિત્ર

૧૯૮૨ પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરુ’

અન્ય સંપાદન

૧૯૭૧ સંચયિતા (શ્રી પ્રકાશ મહેતા સાથે)

૧૯૭૧ જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ

૧૯૭૪ ‘નાટક વિશે જયંતી દલાલ’ (અન્ય સાથે)

૧૯૭૪ પતીલનાં ચૂંટેલાં કાવ્યો

૧૯૭૪ સંવાદ (શ્રી રામપ્રસાદ બક્ષી અને અન્ય સાથે)

૧૯૭૭ ગુજરાતી વાર્તાઓ (શ્રી યશવંત શુક્લ સાથે

૧૯૭૭ ઍબ્સર્ડ

નોંધ

૧. ‘વિશ્વમાનવ’ના સાહિત્ય વિભાગના સંપાદક તરીકે કાર્ય.

૨. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ સામયિકો શરૂ કરેલા.

૩. ‘જન્મભૂમિ’ દૈનિકમાં અલપ-ઝલપ કોલમ

૪. ‘સંદેશ’માં ‘સાહિત્ય અને સંસ્કાર’ કોલમ

૫. ‘મુંબઈ સમાચાર’માં ‘ચલમન વાટેઘાટે’ નામે કોલમ.

 

 – ઊર્મિલા ઠાકર

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book