મારું ગણિત

પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી
હું નથી.
અને
એટલે જ
પતિના અવસાન પછી
મૂરઝાયેલા ફૂલ જેમ
શેષ આયુષ્ય વિતાવવાના
આપણા ઉત્કૃષ્ટ રિવાજને
હું
વધાવી શકતી નથી.

હું
સ્વર્ગે જઈશ
એવી કોઈ ગણતરી
મારા ગણિતમાં છે જ નહીં!

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book