તોય

કુંવારકા હતી
ત્યારે
માની આજ્ઞા માથે ચડાવી
મેંદીરંગ્યા હાથે
ગૌરીવ્રત કરેલું
અને
આંગણાના તરસ્યા તુલસીછોડને
રોજ પાણી સીંચી,
એની પ્રદક્ષિણા ફરી,
ઘીનો દીવો કરી,
પગે લાગી
ઇપ્સિત વર માગેલો…
તોય
બેડરૂમમાં આગ કેમ લાગી?

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book