વાંચો અને સાંભળો….

સદ્ગત રમણલાલ સોની (૧૯૦૮-૨૦૦૬) એ જીવનના
સાત દાયકા સુધી કવિતા-વાર્તા-નાટકો રૂપે બાળસાહિત્યનું
સર્જન કર્યું એમાં એમનાં સવા-સો જેટલાં વાર્તાસંગ્રહો અને
વાર્તાપુસ્તિકાઓ પ્રગટ થયાં છે.

એ પુસ્તકોમાં ૬૦૦ ઉપરાંત નાની-મોટી,
મૌલિક-રૂપાંતરિત વાર્તાઓ છે.

એમાંથી આ ૫૦ વાર્તાઓ ચૂંટી છે.

*

આ ૫૦ વાર્તાઓમાંથી ૨૭ જેટલી વાર્તાઓ પસંદ કરીને
એનાં પઠન પણ રજૂ કર્યાં છે.

અનુક્રમણિકામાં એવી પઠિત વાર્તાઓની સામે પઠન
કરનારનાં નામ લખ્યાં છે. 

વાર્તાઓનું પઠન કરનાર આ સૌ જાણીતાં લેખકો
અને પ્રવક્તાઓ છે. વળી આ પાઠકો ૬ વર્ષની બાળકીથી લઈને
૭૫ વર્ષના વરિષ્ઠ સુધીનું વયવૈવિધ્ય પણ ધરાવે છે.

– સંપાદન અને સંકલન: રમણ સોની

License