અર્પણ

મારી સ્વર્ગસ્થ પત્નીને

કે
તેનાં સ્મરણોને ?
નયનથી કરી પ્રિયને જુદાં,
લઈ જલાવવાં જો સ્મશાનમાં;
દગથી ઢોળવી અશ્રુ અંજલિ,
જીવન એમ આ જાય છે વહી.
નયનથી છબી લુપ્ત શું થતી?
હૃદય સત્ય તે ના સ્વીકારતું;
રડતું, ખોળતું, નેય થાકતું,
સુઈ જતું ફરી અશ્રુ ઢાળવા.
દિવસ વીતશે, વર્ષ યે જશે,
મુખ પરે વળી સ્મિત આવશે;
જગત જણશે દુઃખ તો ગયું,
પણ ન દુઃખના ઘાવ રૂઝતા.
સ્મરણ સ્નેહીનાં અંતરે છૂપ્યાં,
પ્રગટ તે થતાં મધ્ય રાત્રિએ;
ઉશીકું એકલું સાક્ષી અશ્રુની,
જગત જાણશે દુઃખ તો ગયું!
રમણલાલ વ. દેસાઈ.

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.